બાલવૃંદ રચના 2022

નમસ્કાર મિત્રો બાલવૃંદ રચના 2022 શિક્ષણ વિભાગનો બાળકોની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કરવા વધુ એક મહત્વનો નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં અપેક્ષિત Peer Learning ને વેગ આપવા માટે રાજ્યની દરેક શાળાઓમાં ધોરણ 3 થી 12 માં બાલવૃંદની રચના કરવાનો નિર્ણય લેવાયો

દરેક શાળામાં બાલવૃંદ અંતર્ગત ચાર જૂથ હશે જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર બાળકોને ચાર જૂથમાં વિભાજીત કરવામાં આવશે.

ધો. 3થી 12માં બાલવૃંદ રચના

બાલવૃંદ અંતર્ગત પાયાગત વાચન, લેખન, ગણન તેમજ સામયિક મૂલ્યાંકન કસોટીઓની પૂર્વ તૈયારી, વિષયવસ્તુ આધારિત ક્વીઝ વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

આ પણ વાંચો:- નમો ટેબલેટ યોજના 2022

બાલવૃંદના માધ્યમથી પ્રાર્થનાસભા, વિશેષ દિન અને તહેવારની ઉજવણી, રમતગમત વગેરે જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે.

બાલવૃંદની સમજ

બાલવૃંદને લીધે શાળાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધારી શિક્ષકોનું કાર્ય સરળ બનાવશે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જૂથ ભાવના, જવાબદારીની ભાવના, આત્મ વિશ્વાસ વગેરે જેવાં અનેક કૌશલ્યો ખીલવી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરશે.

આ પણ વાંચો :- દિવાળી વેકેશન ૨૦૨૨-૨૩

Peer Learning એટલે શું?

પીઅર લર્નિંગ એ વિદ્યાર્થીઓની એકબીજા સાથે અને તેમની પાસેથી શીખવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓ જેમ કે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વર્કશોપ, અભ્યાસ જૂથો, પીઅર-ટુ-પીઅર લર્નિંગની ભાગીદારી અને જૂથ કાર્યના માધ્યમથી સુવિધા આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પીઅર-ટુ-પીઅર લર્નિંગ ત્યારે થાય છે જ્યારે એક અથવા વધુ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને શીખવે છે.

1 thought on “બાલવૃંદ રચના 2022”

Leave a Comment