ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ગુજરાત મા યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો 2022 Election Commission Press Conference Today ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણીની અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં આજે તમામની નજર આ પીસી પર રહેશે કે બંને જગ્યાએ ચૂંટણી ક્યારે થશે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની EC કરશે જાહેરાત

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વિધાનસભા ચૂંટણીને લઈ અનેક વખત ઈલેક્શન કમિશનના સભ્યો ગુજરાત આવ્યા હતા. અનેક દિવસો સુધી તેઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. અને ગુજરાતના માહોલને જાણ્યો હતો. જે બાદ આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે રાજકીય પંડીતોના મત અનુસાર આજે માત્ર હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર થશે કારણે ગુજરાતમાં 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે જેમાં પીએમ મોદી ભાગ લેવાના છે. ત્યારે આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના ઓછી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર
- બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
- પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ થઇ શકે જાહેર
ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે.
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી થોડા જ દિવસોમાં યોજાવાની છે અને તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
- ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલાં જ પોતાના પ્રચારમાં લાગી ગયા છે અને મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.
- બીજી તરફ ગુજરાતમાં કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ પણ આવી હતી અને રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ જાહેર કરશે અને તારીખો જાહેર થયા બાદ રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી જશે. પરંતુ આચારસંહિતા શું હોય છે અને તેની શું અસર થાય છે.